નવી દિલ્હી: સંકટમાં ફસાયેલી Yes Bankના ગ્રાહકો માટે એક સારા સમાચાર આવ્યાં છે. યસ બેંકના ખાતા ધારકો હવે કોઈ પણ બેંકના એટીએમથી પોતાની રોકડ રકમ ઉપાડી શકશે. યસ બેંક દ્વારા ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. અત્રે જણાવવાનું કે સંકટમાં ફસાયેલી યસ બેંકે અગાઉ આ સુવિધા પાછી ખેંચી લીધી હતી. 


આ અગાઉ યસ બેંકના ફાઉન્ડર રાણા કપૂરને ઈડીના અધિકારીઓએ ધરપકડ કરી લીધી હોવાના અહેવાલ આવ્યાં છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ લગભગ 31 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કર્યા બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. અત્રે જણાવવાનું કે શનિવારે બપોરે 12 વાગ્યાથી જ રાણા કપૂરની ઈડી પૂછપરછ કરી રહી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube